- રાજસ્થાનના ભરતપુરમાં સોમવારે સવારે મોટી દુર્ઘટના ઘટી
- ટ્રકે રોડ કિનારે ઉભેલી બસને ટક્કર મારી હતી
- બસમાં 45થી વધુ લોકો સવાર હતા.
- 11 લોકોના મોત
rajasthan bus accident : રાજસ્થાનના ભરતપુરમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં 11 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 12 થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં 45થી વધુ લોકો સવાર હતા.
ઘટના ક્યારે અને કેટલા વાગે બની?
લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યે આ ઘટના બની છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. મૃતકોમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ભાવનગર (ગુજરાત)ના રહેવાસી હોવાનું કહેવાય છે.
A private luxury bus carrying 60 Gujarati pilgrims meets with an accident near Bharatpur, #Rajasthan.
11 died so far. Many injured
(Further Details Awaited )
Disturbing Visuals.#BusAccident #Bhavnagar #TV9News pic.twitter.com/iONYC2Jc3p— Tv9 Gujarati (@tv9gujarati) September 13, 2023
બસ રોડ કિનારે શા માટે ઉભી હતી?
પોલીસના જણાવ્યા અનુસાર બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી. ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસ અચાનક પલટી ગઈ હતી. ડ્રાઇવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો પણ બસમાંથી ઉતરી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર બેભાન લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
#WATCH | Rajasthan | 11 people killed and 12 injured when a trailer vehicle rammed into a bus on Jaipur-Agra Highway near Hantra in Bharatpur District, confirms SP Bharatpur, Mridul Kachawa. The passengers on the bus were going from Bhavnagar in Gujarat to Mathura in Uttar… pic.twitter.com/1nYUkj3J9z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 13, 2023
અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેર વિખેર થઇ ગયા
અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યો હતો. સાથે જ હાઈવે પર પણ જામ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે ક્યા વાહને ટક્કર કરી. ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે તે હોશમાં આવશે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવશે.
ઇજાગ્રસ્તો ગુજરાતના ભાવનગરના રહેવાસી
તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો ગુજરાતના ભાવનગરના રહેવાસી હોવાનું કહેવાય છે. ટ્રેલરે પાછળથી પાર્ક કરેલી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતની માહિતી મળતા લખનપુર, નાદબાઈ, હલાઈના, વાઘર સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુસાફરોથી ભરેલી બસ ભાવનગરથી મથુરા હરિદ્વાર જવા માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહી હતી. અકસ્માત બાદ પુલ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો